Skip to main content

Featured

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

                  માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમ...

વલસાડમાં પૂરના પાણી ઓસર્યા બાદ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે રસીકરણ અને ડિવોર્મિંગ દવાનું વિતરણ કરાયુ

 વલસાડમાં પૂરના પાણી ઓસર્યા બાદ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે રસીકરણ અને ડિવોર્મિંગ દવાનું વિતરણ કરાયુ 

પૂર સમયે નીચાણવાળા વિસ્તારમાં ૩૫૭ પશુ અસરગ્રસ્ત થતા ૨૦૫ પશુને સ્થળાંતરિત કરાયા હતા 

---- 

પૂર ઓસર્યા બાદ પશુઓમાં થતાં રોગો વિશે પશુ પાલકોને સમજણ આપવામાં આવી

---- 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૮ ઓગસ્ટ 

વલસાડ જિલ્લામાં સાંબેલાધાર વરસેલા અતિ ભારે વરસાદે ખમૈયા કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ કામગીરીથી માંડીને પીવાનું પાણી અને આરોગ્ય સ્વસ્થ રહે તે માટેના તમામ પગલા હાથ ધરાતા જનજીવન ધીમે ધીમે થાળે પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં વલસાડ તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં પશુધન સુરક્ષિત રહે તે માટે સતર્કતાના ભાગરૂપે જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા પશુઓનું સ્થળાંતર કરાયુ હતુ પરંતુ હવે સ્થિતિ રાબેતા મુજબ બનતા પશુચિકિત્સકોની ટીમ દ્વારા રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે.  

વલસાડ તાલુકાની ઔરંગા નદીમાં પૂર આવતા શહેરી વિસ્તારનાં મોગરાવાડી, કૈલાશ રોડ અને યાદવ નગર વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકોનાં કુલ ૩૫૭ પશુ અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી ૨૦૫ પશુને ગુંદલાવ ગોડાઉનની જગ્યામાં સ્થાળાંતરિત કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના પશુઓના સ્થળે ૧ ફુટ જેટલુ પાણી ભરાયેલું હોવાથી પશુ માલિક દ્વારા સ્થાળાંતરિત કરવામાં આવ્યા ન હતા. જો કે વરસાદનું જોર ધીમુ પડતા ગુંદલાવ ગોડાઉનની જગ્યામાં સ્થળાંતરિત કરવામાં આવેલા પશુઓને પુન: તેઓની મુળ જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. 

વલસાડ જિલ્લા પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામક ડો.જગદીશ વસાવાએ જણાવ્યું કે, પૂરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ પશુપાલન શાખા દ્વારા પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. પુરના પાણી ઓસર્યા બાદ વલસાડ જિલ્લાનાં પશુપાલન વિભાગ દ્વારા પશુચિકિત્સકોની ટીમ બનાવી અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં પશુઓના મરણ બાબતનો કોઇ બનાવ ધ્યાને આવ્યો નથી. વલસાડ તાલુકા સિવાય જિલ્લાના અન્ય કોઈ પણ તાલુકાઓમાં પશુ પુરથી અસરગ્રસ્ત થયા હોય તેવા અહેવાલ મળ્યા નથી. અસરગ્રસ્ત વિસ્તારના પશુઓમાં રોગચાળો ફેલાય નહી તેની તકેદારીના ભાગ રૂપે પશુચિકિત્સકોની ટીમ દ્વારા રસીકરણ તથા ડિવોર્મિંગ દવા વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. બિમાર પશુઓને સ્થળ પર સારવાર આપવામાં આવી છે. પુર વખતે પશુને કઇ રીતે બચાવી શકાય અને પુર ઓસર્યા બાદ પશુઓમાં થતાં રોગો વિશે પશુ પાલકોને સમજણ આપવામાં આવી છે. આવનારા સમયમાં વલસાડ જિલ્લાનાં તમામ તાલુકાના પશુઓમાં રસીકરણ થઇ જાય તે બાબતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

Comments