Skip to main content

Featured

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન.

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન ગાંધીનગરના ગિફ્ટ સિટી કલબમાં વિકસિત ગુજરાત ૨૦૪૭ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે જિલ્લામાં પ્રસશનીય કામગીરી કરનાર કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રઘુનાથ ભોયા હાલમાં આત્મા પ્રોજેક્ટ સાથે મળીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ગામે ગામે વિસ્તરે તે માટે કપરાડા, ધરમપુર, પારડી અને ચીખલી તાલુકાના ૧૫૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેઓએ ખેતીમાં ઝંપલાવ્યું હતુ અને એવોર્ડ પણ મેળવ્યા છે. હાલમાં તેઓ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરની સાથે સાથે કપરાડા તાલુકાના સહ સંયોજક તરીકે પણ સેવા આપી રહ્યા છે. રાજ્યપાલના હસ્તે તેમનું સન્માન કરાતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.   #GujaratInformation #CMOGujarat #CollectorValsad #Gu...

નવસારી જિલ્લામાં પુરના પાણી ઓસરતા દવા છંટકાવ અને સાફસફાઇની કામગીરી હાથ ધરાઇ

  નવસારી જિલ્લામાં પુરના પાણી ઓસરતા દવા છંટકાવ અને સાફસફાઇની કામગીરી હાથ ધરાઇ

બીલીમોરા નગરપાલીકા દ્વારા વિવિધ સ્થળોએ સઘન સાફસફાઇને પ્રક્રિયા શરૂ

પુરના પાણી ઓસરતા હાશકારો લેવાની જગ્યાએ નવસારી જિલ્લા તંત્ર નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપી વધારે સતર્કતાથી કામગીરી કરી રહ્યું છે

-

નવસારી,૨૮: ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદના પગલે અનેક જિલ્લાઓએ પુરના સંકટનો સામનો કરવો પડયો હતો. નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતાં જિલ્લાની અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીઓમાં ધોડાપૂર આવતાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતા જેમાં જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બની કામગીરી કરી હતી. આજરોજ વરસાદનો જોર ઓછો થતા નદીઓને સપાટી નીચે ઉતરી છે. જેથી અનેક સ્થળોએ પુરના પાણી ઓસરી ગયા છે. આ પરિસ્થિતીમાં હાશકારો લેવાની જગ્યાએ નવસારી જિલ્લા તંત્ર નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપી વધારે સતર્કતાથી કામગીરી કરી રહ્યું છે. પુરના પાણી ઓસરતા વિવિધ જગ્યાઓ ઉપર રોગચાળો ન ફાટે તેની તકેદારી રાખી બીલીમોરા નગરપાલીકા દ્વારા સઘન સફાઇ અભિયાન અને દવા છંટકાવની કામગીરીમાં અને આરોગ્ય વિભાગ રોગચાળા નિયંત્રણની કામગીરીમાં વ્યસ્ત થઇ ગયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલીક ધોરણે સતર્કતા રાખી કામગીરી કરવામાં આવી રહી છે. જે સરાહનાને પાત્ર છે. 










Comments