Skip to main content

Featured

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન.

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન ગાંધીનગરના ગિફ્ટ સિટી કલબમાં વિકસિત ગુજરાત ૨૦૪૭ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે જિલ્લામાં પ્રસશનીય કામગીરી કરનાર કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રઘુનાથ ભોયા હાલમાં આત્મા પ્રોજેક્ટ સાથે મળીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ગામે ગામે વિસ્તરે તે માટે કપરાડા, ધરમપુર, પારડી અને ચીખલી તાલુકાના ૧૫૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેઓએ ખેતીમાં ઝંપલાવ્યું હતુ અને એવોર્ડ પણ મેળવ્યા છે. હાલમાં તેઓ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરની સાથે સાથે કપરાડા તાલુકાના સહ સંયોજક તરીકે પણ સેવા આપી રહ્યા છે. રાજ્યપાલના હસ્તે તેમનું સન્માન કરાતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.   #GujaratInformation #CMOGujarat #CollectorValsad #Gu...

Valsad : Compensation To Victims Of Hit and Run Motor Accidents Scheme, 2022 હેઠળ પોલીસ અધિક્ષકશ્રી વલસાડ દ્વારા મૃતક દીઠ રૂ.૨,૦૦,૦૦૦/- વળતરના હુકમો એનાયત કરવામાં આવ્યા.

Valsad : Compensation To Victims Of Hit and Run Motor Accidents Scheme, 2022 હેઠળ પોલીસ અધિક્ષકશ્રી વલસાડ દ્વારા મૃતક દીઠ રૂ.૨,૦૦,૦૦૦/- વળતરના હુકમો એનાયત કરવામાં આવ્યા.



આજ રોજ Compensation To Victims Of Hit and Run Motor Accidents Scheme, 2022 હેઠળ માર્ગ અકસ્માતમાં અકાળ મૃત્યુ પામનાર મૃતકોના વારસદારોને અમારા તથા વલસાડ પોલીસ અધિક્ષકશ્રી  ડૉ. કરણસિંહ વાઘેલા દ્વારા  મૃતક દીઠ રૂ.૨,૦૦,૦૦૦/- વળતરના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

Comments