Skip to main content

Featured

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

                  માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમ...

પ્રાકૃતિક ખેતીનો માર્ગ : વલસાડ જિલ્લાના 50 ખેડૂતોએ મેળવ્યું તાલીમ માર્ગદર્શન.

 પ્રાકૃતિક ખેતીનો માર્ગ : વલસાડ જિલ્લાના 50 ખેડૂતોએ મેળવ્યું તાલીમ માર્ગદર્શન.


વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ખાતે તાજેતરમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૫૦થી વધુ પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા. આ તાલીમમાં ઉમરગામના બ્લોક ટેકનોલોજી મેનેજર તુષાર ગામિતે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને ફાયદા પર પ્રકાશ પાડ્યો હતો.

જ્યારે, પશુપાલન અધિકારી ડો. નિર્મલ પટેલે ખેતીમાં પશુપાલનના મહત્વ અને પશુ રોગ નિયંત્રણ અને પોષણ વ્યવસ્થાપન અંગે વિશિષ્ટ માર્ગદર્શન આપ્યું. 

તાલીમમાં સરોન્ડા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ પટેલે પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો શેર કર્યા, જ્યારે ખેડૂત ઈશ્વરભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીથી મળેલા લાભો વિશે માહિતી આપી અન્ય ખેડૂત ભાઈ-બહેનોને આ પદ્ધતિ અપનાવવાનો ઉદ્દેશ આપ્યો.


Comments