Skip to main content

Featured

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન.

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન ગાંધીનગરના ગિફ્ટ સિટી કલબમાં વિકસિત ગુજરાત ૨૦૪૭ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે જિલ્લામાં પ્રસશનીય કામગીરી કરનાર કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રઘુનાથ ભોયા હાલમાં આત્મા પ્રોજેક્ટ સાથે મળીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ગામે ગામે વિસ્તરે તે માટે કપરાડા, ધરમપુર, પારડી અને ચીખલી તાલુકાના ૧૫૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેઓએ ખેતીમાં ઝંપલાવ્યું હતુ અને એવોર્ડ પણ મેળવ્યા છે. હાલમાં તેઓ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરની સાથે સાથે કપરાડા તાલુકાના સહ સંયોજક તરીકે પણ સેવા આપી રહ્યા છે. રાજ્યપાલના હસ્તે તેમનું સન્માન કરાતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.   #GujaratInformation #CMOGujarat #CollectorValsad #Gu...

પ્રાકૃતિક ખેતીનો માર્ગ : વલસાડ જિલ્લાના 50 ખેડૂતોએ મેળવ્યું તાલીમ માર્ગદર્શન.

 પ્રાકૃતિક ખેતીનો માર્ગ : વલસાડ જિલ્લાના 50 ખેડૂતોએ મેળવ્યું તાલીમ માર્ગદર્શન.


વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ખાતે તાજેતરમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૫૦થી વધુ પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા. આ તાલીમમાં ઉમરગામના બ્લોક ટેકનોલોજી મેનેજર તુષાર ગામિતે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને ફાયદા પર પ્રકાશ પાડ્યો હતો.

જ્યારે, પશુપાલન અધિકારી ડો. નિર્મલ પટેલે ખેતીમાં પશુપાલનના મહત્વ અને પશુ રોગ નિયંત્રણ અને પોષણ વ્યવસ્થાપન અંગે વિશિષ્ટ માર્ગદર્શન આપ્યું. 

તાલીમમાં સરોન્ડા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ પટેલે પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો શેર કર્યા, જ્યારે ખેડૂત ઈશ્વરભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીથી મળેલા લાભો વિશે માહિતી આપી અન્ય ખેડૂત ભાઈ-બહેનોને આ પદ્ધતિ અપનાવવાનો ઉદ્દેશ આપ્યો.


Comments