Skip to main content

Featured

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

                  માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમ...

ધરમપુરનાં ઓઝર ગામમાં નવા પંચાયત ભવન અને શાળા મકાનનું લોકાર્પણ.

 ધરમપુરનાં ઓઝર ગામમાં નવા પંચાયત ભવન અને શાળા મકાનનું લોકાર્પણ.

તારીખ 08-11-2 024નાં  દિને ધરમપુર તાલુકાના ઓઝર ગામ ખાતે નવા પ્રાથમિક શાળા મકાન અને પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું.

આ પ્રસંગે લોકસભાના દંડક અને વલસાડ સાંસદ ધવલભાઈ પટેલ અને ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું.

લોકાર્પણ સમારંભમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન ઠાકોર, ઓઝર ગામના સરપંચ, સરપંચ સંધના પ્રમુખ વિનોદભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને ગામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.




Comments